આમ આદમી પાર્ટી દ્વારા કોળી સમાજના ખૂબ જ મોટા નેતા રાજુ સોલંકીને ‘આપ’ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા.

Published on: 5:08 pm, Sat, 12 November 22

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે મિત્રો ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાના વરિષ્ઠ અને અનુભવી નેતાઓના માર્ગદર્શન હેઠળ દિવસેને દિવસે આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટી રાજુ સોલંકીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે અને રાજુભાઈ સોલંકી કોળી સમાજના મોટા નેતા છે અને રાજુ

સોલંકી અને તેમના પુત્ર વ્રજરાજ સોલંકી ગયા મહિને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથે વિધિવત રીતે જોડાયા હતા.રાજુભાઈ કોળી અનુભવી નેતા હોવાના નાતે તેમની ક્ષમતા અનુસાર તેમને આ પદ આપવામાં આવ્યું છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે અને રાજુભાઈ કોળી

સમાજની સાથે અન્ય સમાજનું પણ ધ્યાન રાખે છે અને સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લે છે અને રાજુભાઈ ના પુત્ર પણ પિતાને પગલે ચાલીને રાજનીતિમાં આગળ વધવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ને રાજુભાઈ 1000થી પણ વધુ અનાજ છોકરીઓના લગ્ન કરાવ્યા છે અને તે વ્યસન મુક્તિ માટે પણ ઘણું કામ કરી રહ્યા છે અને તે શિક્ષણ

માટે પણ ઘણું કામ કરી રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ વધુમાં કહ્યું કે તેઓ એક દેશભક્ત પાર્ટી છે અને આમ આદમી પાર્ટીને લોકો અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે.જે પણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેમને તેમની ક્ષમતા અનુસાર કાર્ય સોંપવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટી દ્વારા કોળી સમાજના ખૂબ જ મોટા નેતા રાજુ સોલંકીને ‘આપ’ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા."

Leave a comment

Your email address will not be published.


*