એક યુવકે તેના સગા નાના ભાઈનો જીવ લઈ લીધો, ત્યારબાદ પોતાના ભાઈના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

Published on: 10:46 am, Tue, 12 July 22

મિત્રો સમગ્ર દેશભરમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે તેના સગા નાના ભાઈનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર યુવાકે પોતાના નાનાભાઈનું ગળુ દોરડાથી દબાવી દીધું અને ત્યારબાદ ભાઈના મૃતદેહને જમીનની અંદર દાટે દીધું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે ઘર વેચવાના અંગે વિવાદ સર્જાયા હતા. ત્યારબાદ બંને ભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઝઘડો એટલો વધી ગયો કે મોટાભાઈ પોતાના નાના ભાઈનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના છત્તીસગઢના ભાટાપારા જિલ્લામાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, તરેંગા ગામમાં 25 વર્ષીય શિવ તિવારી નામનો યુવક છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો. તેનો કોઈ પણ અતો-પતો લાગતો ન હતો. શિવ અહીં ગામમાં પોતાના મોટાભાઈ ભાભી સાથે રહેતો હતો. શિવ અને તેના મોટાભાઈ ધનેશ્વર તિવારી વચ્ચે ઘર વેચવા અંગે વિવાદો ચાલી રહ્યા હતા.

પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી ત્યારે માહિતી મળી કે, વિભાજન બાદ બંને ભાઈઓને સમાન હિસ્સામાં પૈસા આપવામાં આવ્યા હતા. ધનેશ્વરને નશાની લત હતી તેથી તેને પોતાના હિસ્સાના પૈસા ખર્ચી નાખ્યા હતા. આ ઉપરાંત ધનેશ્વર કોઈ પણ કામ કરતો ન હતો. શિવ તિવારી એક મિલમાં કામ કરતો હતો. તેને ગમે તેમ કરીને પોતાનું ઘર બનાવી લીધું હતું. બસ આજ ઘર ઉપર શિવ તિવારીના મોટાભાઈ ધનેશ્વર ની નજર હતી. તેથી ધનેશ્વર શિવ પાસે આ ઘરની માંગ કરે છે.

ધનેશ્વર કહેતો હતો કે તું આ ઘર વેચીને મને પૈસા આપી દે. શિવ આ વાત માનવા તૈયાર ન હતો. તેથી બંને ભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો થયા બાદ શિવ છેલ્લા કેટલાય દિવસોથી લોકોને મળ્યો ન હતો. ત્યારે શિવના જીજાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ધનેશ્વર પણ રવિવારથી ગુમ હતો. આ દરમિયાન પરિવારના લોકોને ધનેશ્વર પર શંકા ગઈ હતી.

આટલું જ નહીં પરંતુ ધનેશ્વરની પત્ની પણ પિયર જતી રહી હતી. પરિવારના લોકોને એક જગ્યાએથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. તેથી લોકોએ મોડી રાત્રે પોલીસને બોલાવી હતી. ત્યારબાદ પોલીસે ધનેશ્વરની તપાસ શરૂ કરી હતી. ધનેશ્વરની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

ધનેશ્વરે જણાવ્યું કે, મારું ઘર વેચવા અંગે શિવ સાથે વિવાદ થયા હતા. જેને લઈને પાંચ જૂનના રોજ રાત્રે પણ વિવાદ થયા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને મે શિવનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને ઘરની પાછળના ખાડામાં દાટી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક યુવકે તેના સગા નાના ભાઈનો જીવ લઈ લીધો, ત્યારબાદ પોતાના ભાઈના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*