ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કમાં એક યુવકે ઝાડ સાથે લઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:44 pm, Tue, 1 February 22

ભાવનગરના કાળિયાબીડમાં વિસ્તારમાં આવતા માધવાનંદ આશ્રમ ની પાસે વિક્ટોરિયા પાર્કના એક ઝાડ પર એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર પોતાનો જીવ ટૂંકાવી નાર યુવકનું નામ ઈન્દ્રજીતભાઈ હિંમતભાઈ ખસિયા(ઉંમર 24 વર્ષ) હતું. મળતી માહિતી અનુસાર તેઓ પાલીતાણાના આકોલાળી ગામે રહેતા હતા અને હાલે ટોપ થ્રી પાસે રૂમ રાખીને રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

ઈન્દ્રજીતભાઈ વિક્ટોરિયા પાર્ક ના એક જાડવા પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. વહેલી સવારે ઝાડ સાથે લટકતો મૃતદેહ જોઈને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતાં નિલમબાગ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર યુવકના ફોન બંધ આવતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

ત્યાર બાદ પરિવારજનોએ પોલીસ માં ગુમ થયા અંગેની જાણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે લટકતી હાલતમાં યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. હાલમાં જ યુવકના લગ્ન થયા હતા.

મળતી માહિતી અનુસાર યુવકે ડિપ્રેશનમાં આવીને મોડી રાત્રે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેવી માહિતીઓ મળી રહે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરમાં વિક્ટોરિયા પાર્કમાં એક યુવકે ઝાડ સાથે લઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*