જામનગરમાં દોઢિયા ક્લાસીસ ચલાવતા યુવાને અગમ્યા કારણોસર પોતાનું જીવન ટુંકાવી લીધું – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 5:08 pm, Tue, 23 August 22

ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે દિવસેને દિવસે ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જામનગર શહેરમાં એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જામનગર શહેરના દોઢિયા ક્લાસીસના સંચાલક યુવાની અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

આ ઘટના બનતા છે ચારેય બાજુ એરરાટી ફેલાઈ ગઈ છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું છે તેની તપાસ શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ નીરવ અગ્રાવત હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી.

નીરવ જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતો હતો. તે કાશી વિશ્વનાથ રોડ પર આવેલી બ્રહ્મપુરી વાડીમાં રુદ્રા દોઢિયા ક્લાસીસ ચલાવતો હતો. નીરવે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.આ ઘટના બન્યા બાદ નીરવને તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે નીરવને મૃત જાહેર કર્યો હતો. નીરવના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. દોઢીયા ક્લાસના સંચાલકના મૃત્યુની જાણ થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું. નિરવે કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈપણ પ્રકારની માહિતી સામે આવી નથી. પોલીસે યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે જાણવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જેના પગલે પોલીસે યુવકના મિત્રો અને તેના પરિવારજનોની પૂછપરછ પણ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જામનગરમાં દોઢિયા ક્લાસીસ ચલાવતા યુવાને અગમ્યા કારણોસર પોતાનું જીવન ટુંકાવી લીધું – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*