આશ્રમમાં રહેતા યુવકે ઝેરી દવા ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, આશ્રમના લોકોએ કહ્યું કે પ્રેમ પ્રકરણના કારણે… જાણો સમગ્ર ઘટના

Published on: 12:54 pm, Sat, 6 August 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટના સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં બનેલી એક ચોક આવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે આશ્રમમાં ઝેરી દવા ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. આ ઘટના બનવાના કારણે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના ચિત્રકૂટના કામદગીરી મુખારવિંદ આશ્રમમાં એક યુવકે ઝેરી ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર યુવક આશ્રમમાં અભ્યાસ કરતો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી પંચનામા કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક તેના ભાઈ સાથે નાનપણથી જ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ ગોલું દુબે હતું.

ગોલુ દુબે અને તેનો ભાઈ રામદયાલના પિતા અહી મંદિરમાં પૂજા કરતા હતા. ત્યારથી બંને ભાઈ આશ્રમમાં રહેતા હતા. સમગ્ર ઘટનાને લઈને આશ્રમના મહંતે જણાવ્યું કે, ગુરૂવારના રોજ બપોરના સમયે આ ઘટના બની હતી. ગોલુ પોતાની રૂમમાં એકલો હતો, પ્રેમ પ્રકરણના કારણે ગોલુએ ઝેરી દવા ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટનાની જાણ થતા ગોલુને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબે તેની હાલત નાજુક હોવાના કારણે તેને જિલ્લા હોસ્પિટલ ચિત્રકૂટ રીફર કર્યો હતો. હોસ્પિટલમાં એક કલાકની સારવાર બાદ પણ ગોલુની હાલતમાં સુધારો આવ્યો ન હતો. તેથી ડોક્ટરે ગોલુને પ્રયાગરાજ રિફર કરી દીધો હતો.

મોડી રાત્રે પ્રયાગરાજ લઈ જતી વખતે યમના પુલ પાસે ગોલુનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ગોલુના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આશ્રમના કેટલાક લોકોનું કહેવું છે કે, પ્રેમ પ્રકરણના કારણે ગોલુ એ આ પગલું ભર્યું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આશ્રમમાં રહેતા યુવકે ઝેરી દવા ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, આશ્રમના લોકોએ કહ્યું કે પ્રેમ પ્રકરણના કારણે… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*