સુરતના એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ રડી પડશો…

Published on: 2:33 pm, Wed, 12 January 22

સુરતમાં અડાજણ વિસ્તારમાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર PG-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ ન આવતા અડાજણના તબીબ યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર અડાજણ સુરભી રો હાઉસ ખાતે રહેતા 26 વર્ષીય ડોકટર શ્રેયસ દીપકકુમાર મોદી સ્મિમેરમાંથી MBBSના અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મળતી માહિતી અનુસાર શ્રેયસ MDમાં પ્રવેશ મેળવવા માટે PG-નીટની તૈયારી કરી રહ્યો હતો.

ત્યારે સોમવારના રોજ નીટનું મેરીટ લીસ્ટ જાહેર થયું હતું. પરંતુ આ લિસ્ટમાં તેનું નામ ન હોવાથી તે હતાશ થઈ ગયો હતો. જેને લઇને તેને સોમવારના રોજ સાંજના સમયે પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને શ્રેયસના માતાએ જણાવ્યું કે, નીટની પરીક્ષામાં મારા દીકરાને 435 માર્ક હોવા છતાં પણ તેનું નામ મેરીટ લિસ્ટ માં આવ્યું ન હતું.

તેના કારણે મારા દીકરાએ આવું પગલું ભરી લીધું છે. મળતી માહિતી અનુસાર મેરીટ લીસ્ટ થયા બાદ દસ મિનિટ પછી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, આ પગલું ભરવા પાછળનું કારણ જાણીને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*