એક કાર પુલ સાથે અથડાતા રાજકોટના એક યુવાનનું મૃત્યુ, બે પુત્ર પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 3:49 pm, Fri, 22 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ છે અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ પાસે એક કાર પુલ સાથે અથડાતાં કારમાં સવાર અશોકભાઈ નામના યુવાનનું મૃત્યુ થયું છે.

અશોકભાઈનું મૃત્યુ થતાં બે પુત્ર પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અકસ્માતમાં અશોકભાઇના મિત્રોને ગંભીર ઇજા પહોંચી છે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા પાઠ કરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર પડધરીના સરપદડ ગામ પાસે ખંભાળિયા રોડ પર પુલ સાથે GJ 06 LB 9301 નંબરની કાર અથડાતાં કારમાં બેઠેલા અશોકભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.

અશોકભાઈ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીર નગર શેરી નંબર ત્રણ માં રહેતા હતા. અશોકભાઈ દયાળજીભાઈ દાસડીયા તેમનું પૂરું નામ છે.

અકસ્માતમાં અશોકભાઇના મિત્ર કલ્પેશ ભાઈ મનસુખભાઈ જોગડિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃત્યુ પામેલા અશોકભાઈ ચાર ભાઈઓ માંથી સૌથી મોટા હતા અશોકભાઈને બે સંતાન પણ છે. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા અશોકભાઈ ગાંધીગ્રામ વિસ્તારમાં મોડન હેર આર્ટ નામની દુકાન ધરાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક કાર પુલ સાથે અથડાતા રાજકોટના એક યુવાનનું મૃત્યુ, બે પુત્ર પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*