દર્શન કરીને જુનાગઢ તરફ આવતા યુવકને આખલાએ અડફેટેમાં લીધો, યુવકનું કારણ મૃત્યુ – પતિના મૃત્યુ બાદ દીકરાનું મૃત્યુ થતાં માતાનું હૈયાફાટ રૂદન…

Published on: 10:46 am, Mon, 22 August 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જૂનાગઢના વંથલી બાયપાસ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં આખલાની અડફેટેમાં આવતા 19 વર્ષના યુવકનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર યુવક મઢડાથી દર્શન કરીને જુનાગઢ તરફ વંથલી રોડ પર સ્વામી ગુરુકુળ પાસે એક્ટિવા લઈને આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક દીકરાનું મૃત્યુ થતાં માતા પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં 19 વર્ષના હિરેન ભનુભાઈ પરમાર નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ પામેલો હિરેન જુનાગઢના મધુરમમાં રહેતો હતો. હિરેન સાંજે છ વાગ્યાની આસપાસ મઢડાથી દર્શન કરીને જુનાગઢ તરફ પરત આવી રહ્યો હતો.

આ દરમિયાન વંથલી રોડ સ્વામી ગુરુકુળ પાસે હિરેનની એકટીવાની આખલાએ અડફેટેમાં લીધી હતી. આ અકસ્માતની ઘટનામાં હિરેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર હિરેનના પિતાનો થોડાક વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું. તે પોતાની માતા સાથે રહેતો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતાં માથા પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. હિરેનના મૃત્યુ બાદ હવે તેની માતા ઘરમાં એકલી વધી છે.

શહેરમાં સતત રખડતા આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા આખલાઓને કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. સતત આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, છતાં પણ તંત્ર દ્વારા તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દર્શન કરીને જુનાગઢ તરફ આવતા યુવકને આખલાએ અડફેટેમાં લીધો, યુવકનું કારણ મૃત્યુ – પતિના મૃત્યુ બાદ દીકરાનું મૃત્યુ થતાં માતાનું હૈયાફાટ રૂદન…"

Leave a comment

Your email address will not be published.


*