દાહોદમાં 9 મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવક અને યુવતીએ કુવામાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 5:20 pm, Sat, 21 May 22

ગુજરાતમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વિજાગઢ ગામે એક પતિ-પત્ની અગમ્યકારણોસર કુવામાં કુદી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગઇ હતી. ઘટનાના પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર હેમાંગભાઈ અને સાધનાને 9 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્નના નવ મહિના બાદ એક વાર એક અગમ્ય કારણોસર બંને ગામમાં આવેલા કુવામાં કુદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બનતા જ પરિવારો પણ વિચારમાં પડી ગયું છે કે બન્નેએ કયા કારણોસર આ પગલું ભર્યું હોય છે.

ઉપરાંત ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. બન્નેએ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું હજુ સાચું કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાહોદમાં 9 મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવક અને યુવતીએ કુવામાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*