ભાવનગર જીલ્લા જેલમાં એક મહિલા કેદીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું…

Published on: 1:53 pm, Mon, 15 November 21

ભાવનગરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાવનગર જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલી એક મહિલા કેદીએ જેલમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર મહિલા કેદીએ જેલની બેરેકમાં સાડીનું દોરડું બનાવીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

મળતી માહિતી અનુસાર ગળાફાંસો ખાનાર મહિલા કેદીનું નામ સુનિતા અજય મકવાણા હતું. તેની ઉંમર 33 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર આ મહિલાએ થોડાક દિવસો પહેલા જ ઘરકંકાસથી કંટાળીને પોતાના સંતાનને રાજપરા ખોડીયાર મંદિર સ્થિત તળાવમાં નાખી દીધો હતો.

અને પોતે પણ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરમિયાન તે મહિલા બચી ગઇ હતી. તેના કારણે આ સમગ્ર ઘટનાને લઇને કોર્ટે મહિલાને જેલમાં મોકલી હતી.

ત્યારે ગઇકાલે રાત્રે મહિલાએ સાડીનું દોરડું બનાવીને બેરેકની ગ્રીલ સાથે બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ત્યાર બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતુ ત્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બનતા જ જેલમાં અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગર જીલ્લા જેલમાં એક મહિલા કેદીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું…"

Leave a comment

Your email address will not be published.


*