આ રાજ્યમાં દેશમાં પ્રથમ વખત લાગુ કર્યો અનોખો નિયમ, બે થી વધુ બાળકો હશે તો નહીં મળે…

Published on: 9:58 pm, Sat, 19 June 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આસામના મુખ્ય મંત્રી દ્વારા દેશમાં પ્રથમ વખત આ નિયમ લાગુ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે આસામ સરકાર દ્વારા તબક્કાવાર રીતે બે બાળકો ની નીતિ લાગુ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું જોકે વસ્તી નિયંત્રણ નીતિ તમામ યોજનામાં લાગુ નહીં પડે કારણ કે ઘણી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ યોજનામાં જે પરિવારમાં બેથી વધારે બાળકો હશે તેને સરકારી યોજનાનો લાભ નહીં મળે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે આ નીતિ સ્કૂલ અને કોલેજ મફત શિક્ષણ અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત બીજી અન્ય યોજના પર આ નીતિ લાગુ નહીં પડે.

પરંતુ રાજ્યની કેટલીક એવી યોજનાઓ છે તેના પર આ નીતિ લાગુ કરવામાં આવશે ત્યારબાદ ધીમેધીમે આગળ વધીને દરેક યોજના લાગુ કરવામાં આવશે.

આ નીતિ વિશે આસામના વિપક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રીના પરિવારની ટીકા કરી હતી. આ મુદ્દે મુખ્યમંત્રીઓ જવાબ આપતા કહ્યું કે ગત વર્ષોમાં અમારા માતા-પિતા અથવા બીજા લોકોએ શું કર્યું તે વાત કરવાનો કોઈ અર્થ નથી.

ગયા મહિને મુખ્યમંત્રીપદના શપથ લીધા બાદ મુખ્યમંત્રી અને સરકારી યોજના હેઠળ ફાયદો લેવા માટે આ નીતિ લાગુ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ રાજ્યમાં દેશમાં પ્રથમ વખત લાગુ કર્યો અનોખો નિયમ, બે થી વધુ બાળકો હશે તો નહીં મળે…"

Leave a comment

Your email address will not be published.


*