પૂરપાટ ઝડપે આવતા ટ્રકે 3 બસને જોરદાર ટક્કર લગાવતા સર્જાયો ભયંકર અકસ્માત, 15 લોકોના કરુણ મોત… રોડ ઉપર લાશોનો ઢગલો થઈ ગયો…

Published on: 10:35 am, Sat, 25 February 23

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામ પાસે શુક્રવારના રોજ રાત્રિના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર આ ભયંકર અકસ્માતની ઘટનામાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી 10ની હાલત વધારે ગંભીર છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

અકસ્માતની ઘટનામાં મૃતકો માંથી આઠ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે બાકીના લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ ટ્રકનું ટાયર ફાટતાં ટ્રકે ત્રણ બસને જોરદાર ટક્કર લગાવી હતી. જેમાંથી બે બસ ખાડામાં ખાબકી હતી અને એક બસ પલટી ખાઈ જ હતી.

અકસ્માતની ઘટના બની આવા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા 10 લોકોની અત્યાર સુધીમાં ઓળખ થઈ ગઈ છે અને બાકીના લોકોની ઓળખની કામગીરી શરૂ છે. વિગતવાર વાત કરીએ તો બસમાં સવાર લોકો સાતમમાં આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન તેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજ સિંહ પણ હાજરી આપી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા સીએમ શિવરાજ સિંહ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના નવ વાગ્યાની આસપાસ બની હતી.

અહીં પુરપાટ ઝડપે જતા એક ટ્રકે ત્રણ બસને ટક્કર લગાવી હતી. જેમાંથી બે બસ 10 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જ્યારે એક બસ હાઈવે ઉપર પલટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ સિમેન્ટથી ભરેલો ટ્રક પણ પલટી ખાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 15 લોકોના મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઈવે રોડ મોતની ચીચિયારીથી ગુંજી ઉઠ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દસ દસ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને બે લાખ રૂપિયા અને આકસ્મિક રીતે જાગ્રસ્ત થયેલા લોકોને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂરપાટ ઝડપે આવતા ટ્રકે 3 બસને જોરદાર ટક્કર લગાવતા સર્જાયો ભયંકર અકસ્માત, 15 લોકોના કરુણ મોત… રોડ ઉપર લાશોનો ઢગલો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*