જામનગર હાઇવે પર ઇકો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે મોત…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર હાઈવે પર ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતા ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.

જ્યારે બીજા બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે જામનગર તાલુકાના મસિતિયા ગામના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજી થી ઇકો માં પરત આવતા હતા.

આ દરમિયાન જામનગર કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઈ હતી. અકસ્માત ને જાણ થતા જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિકોએ અકસ્માત અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. તેમાં સવાર સૈયદ આમનશા બાપુ મદારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. મધરાતે થયેલા આ અકસ્માતમાં સૈયદ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજ અને તેમના ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોટી રાત્રે જી.જી. હોસ્પિટલ ખાતે તેમના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*