સુરતના વરાછામાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

Published on: 3:47 pm, Wed, 1 March 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને તમને પણ આંચકો લાગશે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ગુણવંત બલદાણીયાના 15 વર્ષના દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મૃત્યુ પામેલો વિદ્યાર્થી વરાછાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. રવિવારના રોજ તેને ઘરમાં પંખાના પાઇપ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ભારે ભાગદોડ મચી ગઈ હતી. મૃત્યુ પામેલા બાળકના કાકા લાલજીભાઈ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુસાઇડ કરવા પાછળનું એક ચોકાવનારું કારણ સામે આવી રહ્યું છે.

મૃત્યુ પામેલા બાળકનું નામ તરુણ હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તરુણ એક મહિનાથી પોતાના પરિવારના સભ્યો પાસેથી મોબાઇલ માગતો હતો. જેથી પરિવારના સભ્યોએ તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહીને થોડાક સમય પછી મોબાઈલ લઈ આપીશું તેમ કહ્યું હતું. બસ આજ વાતનું તરુણને માથું લાગી ગયું અને તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના વરાછામાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*