સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરમાં પંખા પર લટકીને સુસાઈડ કર્યું, પરીક્ષામાં 80 ટકા આવ્યા હતા…પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

Published on: 12:26 pm, Fri, 10 February 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ તુ સાઇડ જેવું મોટું પગલું ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીએ કયા કારણોસર પોતાનું જીવન અટકાવ્યું તેનું કારણ હજુ પણ અકબંધ છે. માત્ર 15 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ યુવરાજ જોશી હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. યુવરાજ જોશી માતાવાડી નજીક આવેલી એલ પી સવાણી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. બુધવારના રોજ બપોરે તેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

યુવરાજે શા માટે સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું તેનું કારણ પોલીસ પણ જાણી શકી નથી. મળતી માહિતી અનુસાર આંતરિક પરીક્ષામાં યુવરાજને 80 ટકા આવ્યા હતા. હજુ પણ વધુ માર્ક્સ લાવીશ તેવી વાતો કરનાર વિદ્યાર્થીએ સુસાઇડ કરી લેતા સમગ્ર પથકમાં ચકચાર મચી છે. યુવરાજ ઘરમાં પંખા પર લટકીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.

દીકરાનું મૃત્યુ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા પોલીસે વિદ્યાર્થીઓ શા માટે આ પગલું ભર્યું તેનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરમાં પંખા પર લટકીને સુસાઈડ કર્યું, પરીક્ષામાં 80 ટકા આવ્યા હતા…પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*