ધોરણ 10 માં ભણતી વડોદરા ની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, દીકરીના બાપે કહ્યું કે…

Published on: 12:18 pm, Tue, 25 April 23

વડોદરા શહેરના વડસર રોડ ઉપર રહેતી 15 વર્ષની વિદ્યાર્થીઓની એ થોડા સમય પહેલા જ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. ગત મોડી રાત્રે પોતાના જ ઘરમાં ઓઢણીથી ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સળી પડ્યો છે. આ અંગે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ભણવામાં હોશિયાર હતી, કયા કારણોસર આવું પગલું ભર્યું તે અંગે મને ખબર નથી.

પોલીસે મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી વિદ્યાર્થીની ના રહસ્યમય મોતની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરના વડસર મધુસાગર સોસાયટીમાં રહેતી ધોરણ 10 ની વિદ્યાર્થીની પ્રિયા મુકેશભાઈ જોશી એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ વિદ્યાર્થી ની એ ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. ગત મોડી રાત દરમિયાન પોતાના બેડરૂમમાં પંખા ઉપર ઓઢણી થી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે પિતા મુકેશભાઈ જોષી એ દીકરીને પંખા ઉપર લટકેલી જોતા સ્તબ્ધ થઈ ગયા હતા ‌ મુકેશભાઈ જોશી નો રડવાનો અવાજ સાંભળી પરિવારના અન્ય લોકો તેમજ પાડોશી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

આ દરમિયાન પંખા ઉપર લટકેલી પ્રિયાનો મૃતદેહ ઉતારી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયાના શરીરમાં કોઈ હલનચલન ન દેખાતા પિતા મુકેશભાઈ જોષી એ માંજલપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ સ્થળ ઉપર દોડી આવી હતી, મૃતદેહ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસે મુકેશભાઈ જોશી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્રિયાને સવારે પંખા ઉપર લટકતી જોઈ હતી. પ્રિયાએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી, આગામી દિવસોમાં તેનું પરિણામ આવવાનું હતું. પરંતુ પ્રિયા ભણવામાં હોશિયાર હતી તો કયા કારણોસર આપઘાત કરી લીધો તેની મને ખબર નથી. પોલીસે પિતાના નિવેદનના આધારે આપઘાત નો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.

ધોરણ 10નું પરિણામ આવે તે પહેલા પ્રિયા જોશી એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પિતાના કહેવા મુજબ પ્રિયા અભ્યાસમાં હોશિયાર હતી, શા માટે તેણે આપઘાત કરી લીધો ? તે સવાલે રહસ્યો સર્જાયા છે, માંજલપુર પોલીસે વણ ઉકેલ્યા પ્રશ્નોના જવાબ શોધવા માટે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોરણ 10 માં ભણતી વડોદરા ની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, દીકરીના બાપે કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*