સાવ એટલે સાવ નાની એવી બાબતમાં દીકરાએ પોતાના પિતાનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો આ હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી છે. જેમાં સાવ નાની એવી બાબતમાં બાપ દીકરો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં સાવ એટલે સાવ નાની એવી બાબતમાં એક દીકરાએ પોતાના પિતાનો જીવ લઈ લીધો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી દીકરો માનસિક રીતે નબળો છે. તેને લગભગ છ મહિના પહેલા પોતાના જ ઘરને આગ લગાવી દીધી હતી. ત્યારે હાલમાં તેને પોતાના જ પિતાનો જીવ લઈ લીધો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપી યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના ટોંકમાં બની હતી.

વિગતવાર વાત કરીએ તો ઘરમાં બાપ દીકરો રહેતા હતા અને બંને મજૂરી અને ખેતી કામ કરતા હતા. લગભગ ચાર વર્ષ પહેલા આરોપી યુવકને તેની પત્ની છોડીને ચાલી ગઈ હતી. જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીનું ઘણા લાંબા સમય પહેલા અવસાન થયું હતું. મૃત્યુ પામેલા પિતાનું નામ નાથુલાલ બૈરવા હતું અને તેમની ઉંમર 57 વર્ષની હતી. જ્યારે આરોપી દીકરાનું નામ જોગેન્દ્ર છે અને તેની ઉંમર 26 વર્ષની છે.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ બાપ દીકરા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. દીકરાએ પોતાના પિતા પાસે વાપરવાના પૈસા માગ્યા હતા. પરંતુ પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ વાત સાંભળીને દીકરાને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો અને તેને લાકડી લઈને પિતાના માથાના ભાગે જોરદાર પ્રહાર કર્યા હતા. આ કારણોસર પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના બન્યા બાદ નાથુલાલે બુમા બુમ કરી હતી જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ નાથુલાલ અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને જયપુર રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ જયપુર પહોંચે તે પહેલા રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતાં જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળ લઈ કાર્યવાહી હાથ ધરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માનસિક રીતે બીમાર હોવાના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*