કાળજુ કંપાવી દે તેવી ઘટના..! ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતા 10 લોકોના મૃત્યુ…ઘટના જાણીને ટાંટિયા ધ્રુજી જશે..

Published on: 5:38 pm, Mon, 26 September 22

નવરાત્રિના પહેલા દિવસે જ એક મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. લખનઉથી લગભગ 30 કિલોમીટર દૂર ઇટોન્જામાં આ અકસ્માતની ઘટના બની હતી.

અહીં ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગયા હતા. આ કારણોસર ટ્રોલીમાં અને ટ્રેક્ટરમાં સવાર 46 લોકો પાણીમાં પડ્યા હતા. આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે. અને બાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકો માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. સમતાથી પણ વધારે લોકો ટ્રેક્ટર અને ટ્રોલીમાં સવાર હતા. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગયા હતા.

આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પાણીમાં પડેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અત્યારે ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

અકસ્માતની ઘટના બની ત્યાં ખૂબ જ સાંકડો રસ્તો છે. અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે, ટ્રેક્ટર ટ્રોલી ખૂબ જ સ્પીડમાં હતા. સામેથી એક બાઈક આવી રહી હતી. આ દરમિયાન ટ્રેક્ટર ચાલક ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.

જેના કારણે ટ્રેક્ટરની ટ્રોલી માટીના રસ્તા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. જેથી ટ્રેક્ટર અને ટ્રોલી બંને તળાવમાં પલટી ખાઈ ગયા હતા. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોને બચાવવા માટે બંને તરફના રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ આઠ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાળજુ કંપાવી દે તેવી ઘટના..! ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતા 10 લોકોના મૃત્યુ…ઘટના જાણીને ટાંટિયા ધ્રુજી જશે.."

Leave a comment

Your email address will not be published.


*