ધંધુકા-રાણપુર રોડ પર ચાલુ કારે અચાનક ટાયર નિકળી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ…

Published on: 9:34 am, Thu, 30 September 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ એ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ધંધુકા-રાણપુર(Dhandhuka-Ranpur) રોડ પરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચાલુ કારે ટાયર નિકળી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર જૂનાગઢ ના રહેવાસી ઇરફાનભાઇ ઇબ્રાહીમભાઇ હાલા અને જાવેદભાઈ ગુલામહુસેન મહિડા બંને કાકા ભત્રીજો જુનાગઢ થી પોતાની કાર લઇને મધ્યપ્રદેશમાં મજુર નક્કી કરવા ગયા હતા.

ગઈકાલે બંને કાકા ભત્રીજો મધ્યપ્રદેશથી ખજૂર નું નક્કી કરીને જુનાગઢ પરત ફરતા હતા ત્યારે 1.30 વાગ્યાની આસપાસ ધંધુકા અને રાણપુર રોડ પર ગુજાર ગામ પાસે આવેલા કૃપા પેટ્રોલ પંપ પાસે તેમની કાર નું ડાબી બાજુનું આગળનું ટાયર ચાલુ ગાડીએ નીકળી ગયું હતું અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. અકસ્માતમાં ઇરફાનભાઇ ઇબ્રાહીમભાઇ હાલા (ઉંમર 33 વર્ષ)ને ઈજા પહોંચી હતી.

તેને સારવાર માટે તાત્કાલિક ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને કાર ચાલે તો જાવેદભાઈ ગુલામહુસેન (ઉમર 55 વર્ષ)નું ગંભીરા પહોંચવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને આ સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધંધુકા-રાણપુર રોડ પર ચાલુ કારે અચાનક ટાયર નિકળી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*