પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઉભેલા ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 12:14 pm, Mon, 16 May 22

પાલનપુર-અમદાવાદ હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઉભેલા ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે 3 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે 10 થી પણ વધારે લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે.

ત્યારે વહેલી સવારે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પાર કાણોદર નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રાજસ્થાન થી અમદાવાદ જઈ રહેલી બસ ટ્રકની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. ઉપરાંત હાઇવે પર કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતની ઘટનામાં ગણપતલાલ નેનારામ મેઘાવાલા, કૈલાશજી તારાજી મેઘાવાલા અને વિક્રમકુમાર મધારામ હીરાગરનું અકસ્માતમાં મૃત્યુ નિપજયું છે. આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઉભેલા ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*