65 મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 30 લોકો ઇજાગ્રસ્ત, 8 લોકોના મૃત્યુ…ઘટના સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે..!

Published on: 12:31 pm, Wed, 28 September 22

દેશમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં આજરોજ સવારે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બની હતી. અહીં એર બ્રિજ પર પૂરપાટ ઝડપે આવતા ટ્રક અને 65 મુસાફરોથી ભરેલી ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બસના ચિથરા ઉડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે અને 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માત ના કારણે બસનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. જેના કારણે અનેક મૃતદેહ બસની અંદર ફસાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે ભારે મહેનત બાદ બસમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર બસ ધૌરહરાના ઈશાનગરથી લખનઉ જઈ રહી હતી.

જ્યારે ટ્રક પંજાબ તરફથી આવી રહ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 730 એર બ્રિજ પર બની હતી. અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઈવેની બંને બાજુ 8-8 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને ડીએમ અને એસપીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર 65 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં સવાર લોકોનું કહેવું છે કે બસનો ડ્રાઇવર ખૂબ જ ઝડપથી બસ ચલાવી રહ્યો હતો.

મુસાફરો સ્પીડ ઘટાડવાનું કહ્યું પરંતુ ડ્રાઇવર કોઇની વાત માન્યો નહીં. આ કારણોસર બ્રિજ પર સામેથી આવી રહેલા ટ્રક સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 4 મુસાફરો અને ટ્રક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બસનો કંડકટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

તેને હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો. ત્યારે તેનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં ચાર યુવાનો, એક મહિલા અને એક બાળકનું મૃત્યુ થયું છે. અન્ય બે મૃતદેહ વિશે પૂરતી જાણકારી મળી નથી. અકસ્માતની ઘટના જોનાર લોકોનું તો કાળજુ કંપી ઉઠ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "65 મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 30 લોકો ઇજાગ્રસ્ત, 8 લોકોના મૃત્યુ…ઘટના સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે..!"

Leave a comment

Your email address will not be published.


*