ધંધુકા-બગોદરા રોડ પર એક ખાનગી બસ અચાનક પલટી ખાઈ ગઈ, 35 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત, 11 લોકોની હાલત ગંભીર…

Published on: 10:15 am, Tue, 7 September 21

હાલમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ઘણા અકસ્માતમાં એક જ પરિવારના બધા સભ્યો ના મૃત્યુ થાય છે. ત્યારે અમદાવાદના ધંધુકા બગોદરા રોડ પરની એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર ધંધુકા બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે એક ખાનગી અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર બસમાં અંદાજે 56 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા.

અકસ્માત દરમિયાન બસમાં મુસાફરી કરતા 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ અકસ્માત દરમિયાન 3 નાના બાળકો સહિત 11 લોકોની હાલત ખુબ જ ગંભીર છે.

ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ધાયલોને ધંધુકાની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4 લોકોની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેઓને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સની બસ સૌરાષ્ટ્રના પ્રવાસ તરફ જઈ રહી હતી તે દરમિયાન ધંધુકા-બગસરા રોડ પર તેમનું અકસ્માત થયું હતું.

થોડાક સમય પહેલા જ રાજસ્થાનમાં પણ આવી જ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માત એક ટ્રક અને તુફાન કાર વચ્ચે થયું હતું. અકસ્માત દરમિયાન 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધંધુકા-બગોદરા રોડ પર એક ખાનગી બસ અચાનક પલટી ખાઈ ગઈ, 35 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત, 11 લોકોની હાલત ગંભીર…"

Leave a comment

Your email address will not be published.


*