જામનગરમાં એક ખાનગી બસ અચાનક પલટી મારી ગઇ હતી, 7 વર્ષની બાળકીનું મૃત્યુ, 15 થી વધુ ઈજાગ્રસ્ત…

Published on: 3:01 pm, Fri, 3 September 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાને બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે જામનગરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જામનગરના જમજોધપુર તાલુકા પાસે આવેલા ગોપી અને સણોસરી ગામ પાસે એક અકસ્માત સર્જાયો છે.

અહી રોડ પર જતેલી એક બસ અચાનક ખાડામાં પલટી ખાઈ જાય છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 7 વર્ષની એક નાની બાળકી નું મૃત્યુ થયું છે. અકસ્માત દરમિયાન 15 થી પણ વધુ લોકોને ઇજા પહોંચી છે.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ખાનગી બસ મધ્યપ્રદેશથી મુસાફરોને લઈને ભાણવડ જતી હતી. ત્યારે અચાનક જ રસ્તામાં બસ પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયું હતું.

આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા અંદરથી પણ વધારે લોકોને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ જેસીબી અને અન્ય સાધનોની મદદથી બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બસ કયા કારણોસર પલટી ખાઈ ગઈ છે તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગરમાં એક ખાનગી બસ અચાનક પલટી મારી ગઇ હતી, 7 વર્ષની બાળકીનું મૃત્યુ, 15 થી વધુ ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*