હીરાની ઓફિસમાં કામ કરતા પાટીદાર યુવકે નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, બે બાળકો અને પત્નીનો આધાર છીનવાઈ ગયો…

Published on: 11:33 am, Sat, 3 September 22

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સોનવાડી ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં કૂદીને 30 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રવીણ કેવડા પટેલ હતું. તેના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર છેલ્લા 12 કલાકથી ગણદેવી ફાયર વિભાગની ટીમ નદીમાં યુવકની શોધખોળ કરી રહી હતી. ત્યારે ગઈકાલે સાંજના સમય યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા તેના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ગણદેવી પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વેજલપુર ખાતે આવેલ સાઈ ચેમ્બર એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય પ્રવીણભાઈ પટેલના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. પ્રવીણભાઈ નવસારીના રૂબી કોમ્પ્લેક્સ ખાતે ડાયમંડની ઓફિસમાં કામ કરતાં હતા.

મળતી માહિતી અનુસાર અચાનક પ્રવીણભાઈ સોનવાડી પાસે આવેલી અંબિકા નદી પાસેના બ્રિજ પર પહોંચ્યા હતા. ત્યાં તેમને પોતાનો મોબાઈલ અને અન્ય સામગ્રી બાઈકમાં મૂકી દીધી હતી. ત્યારબાદ હવે ગમ્યા કારણોસર નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક નદીમાં યુવકની શોધખો શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર લગભગ 12 કલાકની શોધખડ બાદ ફાયર વિભાગની ટીમને યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. યુવકની ઓળખ થતા જ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પ્રવીણભાઈ ના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પ્રવીણભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રવીણભાઈ કયા કારણોસર પોતાનું જીવનનું ટૂંકાવ્યું તે જાણવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણભાઈના મૃત્યુના કારણે બે દીકરાઓ અને તેમની પત્નીનો આધાર છીનવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હીરાની ઓફિસમાં કામ કરતા પાટીદાર યુવકે નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, બે બાળકો અને પત્નીનો આધાર છીનવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*