પતિ-પત્ની સહિત 3 દિકરીઓના મૃત્યુના આ કેસમાં નવો વળાંક, ઘરની એક રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 12:25 pm, Sun, 17 April 22

શનિવાર રોજ એક હૃદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ચોંકાવનારી ઘટના પ્રયાગરાજમાં શનિવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પત્ની અને ત્રણ ત્રણ દીકરીઓ ધારદાર વસ્તુ વડે જીવ લેવા માં આવ્યો હતો. જ્યારે પતિનો મૃતદેહ બાથરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.

આ સમગ્ર ઘટના બનતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પોતે આવી હતી. મૃત્યુ પામેલા પતિનું નામ રાહુલ તિવારી, તેની પત્નીનું નામ પ્રીતિ તિવારી અને દીકરીઓના નામ માહી, પીહું અને પોહુ હતું.

સમગ્ર ઘટનાને લઈને એવી આશંકાઓ થઈ રહી હતી કે, પતિએ સૌ પ્રથમ પોતાની પત્ની અને ત્રણ દિકરીઓનો જીવ લઈ લીધો હશે અને ત્યારબાદ બાથરૂમમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોય છે. આ સમગ્ર ઘટનાને લઇને રાહુલભાઈ ની બહેન નો આરોપ છે કે, તેના સાસરિયામાં થોડાક દિવસોથી વિવાદ ચાલી રહ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ માટે 7 ટીમ બનાવી છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે રાહુલ તિવારી પોતાના પરિવારજનો સાથે જમ્યા બાદ સુઈ ગયો હતો. બીજા દિવસે સવારે ઘરની બહાર કોઈ ન આવ્યું ત્યારે નજીકમાં રહેતા એક વ્યક્તિ ઘરની અંદર જાય છે અને તે ઘરની અંદર પત્ની અને ત્રણ દિકરીઓના મૃતદેહ જોવે છે.

ઉપરાંત ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવે છે. ત્યારબાદ તે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરે છે. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચે આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘરમાંથી તેમને બે પાનાની સુસાઇડ નોટ મળી આવી છે.

સુસાઇડ નોટમાં સાસરીયા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુસાઇડ નોટમાં સાસરીયા પક્ષ તરફથી ઘર અને ખેતરના વિવાદો પણ સામે આવ્યા. આ ઉપરાંત સુસાઇડ નોટની અંદર સાસરિયાઓ અને તેમની સાથે સંબંધિત લોકોના પણ નામ લખવામાં આવ્યા છે.

આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, રાહુલ તિવારીને તેના સાસરીના લોકો સાથે માથાકૂટ ચાલતી હતી. રાહુલની બહેને જણાવ્યું હતું કે, સાસરિયાઓ ખાસ કરીને તેનો સાળો રાહુલને ખૂબ જ ત્રાસ આપતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિ-પત્ની સહિત 3 દિકરીઓના મૃત્યુના આ કેસમાં નવો વળાંક, ઘરની એક રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*