ખેતરેથી ઘરે જતા એક આધેડ વ્યક્તિને કારે લીધા અડફેટેમાં, 50 મીટર સુધી ઘસડી ગયો – આધેડનું કરૂણ મૃત્યુ…

Published on: 12:51 pm, Fri, 4 March 22

અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ચિત્તોડગઢમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક આધેડ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ મોડી રાત્રે બની હતી. ખેડૂત પુત્ર ચુનીલાલ ભાઈ ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર કાજોદ રોડ પર આવેલ ગામ પંચાયત ની બિલ્ડીંગ ના પાછળના ભાગે પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે ઘરે જઈ રહેલા ખેડૂતની ટક્કર લગાવી હતી. કારચાલક ખેડૂતને 50 ફૂટ સુધી સાથે ઘસડી ગયો હતો.

અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતું અને ત્યાર બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો.

આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પણ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચુનાલાલભાઈ નું મૃત્યુ થતા બે બાળકોએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે.

ચુનાલાલભાઈને 15 વર્ષની પુત્રી અને 12 વર્ષનો પુત્ર છે. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકોએ ચુનાલાલભાઈ સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેતરેથી ઘરે જતા એક આધેડ વ્યક્તિને કારે લીધા અડફેટેમાં, 50 મીટર સુધી ઘસડી ગયો – આધેડનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*