વડોદરામાં રોડ પર જતી એક મારુતિવાનમાં અચાનક આગ લાગી ઉઠી, વાહનમાં સવાર લોકોનો આબાદ બચાવ…

Published on: 12:36 pm, Fri, 17 December 21

આજકાલ ચાલતી કાર કે ટ્રકમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરાના અમિત નગર સર્કલ પાસે મારુતિવાનમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આ ઘટનામાં વાહન ચાલક અને તેમાં સવાર શ્રમજીવનો આબાદ બચાવ થયો હતો. વાનમાં આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી એને વાન પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં વાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઇને વાહનચાલકે કહ્યું કે જો થોડું મોડું થયું હોત તો અમારો જીવ ચાલ્યો જાત, ભગવાને બચાવી લીધા હતા.

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ કન્સ્ટ્રકટ્સ નો વ્યવસાય કરે છે. મળતી માહિતી અનુસાર તેઓ પોતાની વાતમાં બાજરો ને લઈને દેવરાજ ભાગી જઈ રહ્યા હતા.

ત્યારે અમિત નગર સર્કલ પાસે અચાનક જ જીવન માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. વાહનમાં અચાનક ધુમાડા નીકળવા ના કારણે મહેન્દ્ર ભાઈ વાન રોકી દીધું હતું. અને ત્યાર બાદ યોગ્ય સમયે મહેન્દ્રભાઈ અને વાનમાં સવાર મજુરો વાન માંથી નીચે ઉતરી ગયા હતા.

ત્યારબાદ મહેન્દ્રભાઈ આ ઘટનાની જાણ થાય વિભાગની ટીમને કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણી છાંટીને વાન પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનામાં વાહ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયું હતું. કયા કારણોસર અચાનક આગ લાગે ઉઠી તેને હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં રોડ પર જતી એક મારુતિવાનમાં અચાનક આગ લાગી ઉઠી, વાહનમાં સવાર લોકોનો આબાદ બચાવ…"

Leave a comment

Your email address will not be published.


*