જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના, એક વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું પગલું

Published on: 10:45 am, Tue, 8 February 22

જેતપુરના ખજૂરી ગુંદાળાના એક આધેડ વયના વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર તેમને વ્યાજે રૂપિયા લીધા હતા. તેની ભરપાઈ કર્યા બાદ પણ માગણી કરવામાં આવી રહી હતી. તેના ત્રાસથી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

ઉપરાંત સુસાઈડ નોટ પણ મળી આવ્યું છે. ઘટના બનતા જ ભારે અફરા તફરી મચી ગઇ હતી. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે રહેતા ગોપાલભાઈ બુટાણીએ 1 તારીખના રોજ જેતપુરના ભોજધારી વિસ્તારમાં આવેલા કારખાના પાસે ગોપાલભાઈનું મૃતદેહ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યું હતું.

મૃત્યુ પામેલા ગોપાલભાઈના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં જેતપુરના મહિલા કોંગ્રેસ અગ્રણી સહિત 12 વ્યક્તિઓ પાસેથી રૂપિયા લીધા બાદ તેમને પૈસા આપી દીધા છતાં પણ વ્યાજ માટે ત્રાસ આપતા હતા.

આ ઉપરાંત ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેક્ટર પડાવી લેવાના ત્રાસ આપતા હતા. આ બધાથી કંટાળીને ગોપાલભાઈ પોતાનો જીવ ટૂંક આવ્યો હતો. તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.

આ ઉપરાંત તેમને પોતાનો જીવ ટૂંકાવી આપેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. તેમાં પણ ગોપાલભાઈ ઉલ્લેખ કર્યો હતો કે બધાને રૂપિયા આપી દીધા છતાં પણ તેઓ ત્રાસ આપી રહ્યા હતા.

તેમજ મૃત્યુ પામેલા ગોપાલભાઈ તેમના પુત્રોને કહ્યું કે, આ બધાને છોડતો નહીં. પોલીસે સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના, એક વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું પગલું"

Leave a comment

Your email address will not be published.


*