અરે બાપ રે..! અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓના પગારમાં કરવામાં આવ્યો મોટો વધારો, પગાર સાથે મળશે સરકારી સુવિધાઓ, જાણો

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરની તૈયારી શરૂ થઈ ગઈ હતી અને હવે માત્ર ગણતરીના દિવસોમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ભગવાન રામની હાજરીની સાથે સાથે ભગવાન રામના બાળ સ્વરૂપની સેવા કરતા પૂજારીઓ અને સેવકોના દિવસો પણ હવે બદલાઈ રહ્યા છે.

ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણથી હવે પૂજારીઓ અને કર્મચારીઓને પણ સરકારી સ્તરની સુવિધાઓ આપવામાં આવી રહી છે અને એટલું જ નહીં રામ મંદિર ટ્રસ્ટ રામ મંદિરમાં તેના પુજારીઓ અને સેવકોને પગાર પણ આપવામાં આવી રહ્યો છે.

મિત્રો આપને જણાવી દઈએ કે મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ નો પગાર 15520 થી વધારીને 25000 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે સહાયક પૂજારીનો પગાર 10,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં રામ જન્મભૂમિમાં ભગવાન શ્રીરામની સેવા કરતા સેવાદારનો પગાર પણ 8000 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં

આવ્યો છે અને આ સાથે રામ મંદિર ટ્રસ્ટના પૂજારીઓને સરકારી કર્મચારીઓની જેમ સુવિધાઓ પણ આપશે.રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કેવું છે કે ભગવાન રામના મંદિરમાં કામ કરતાં પુજારી

અને સહાયક પૂજારીના પગારમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો જેમાં ઉપર જણાવેલ મુજબ વધારો થયેલો છે ને એટલું જ નહીં રામ મંદિર દ્રષ્ટિ તો ત્યાં સુધી કહ્યું છે કે ભગવાન રામની સેવા કરતા પૂજારીઓ અને સહાયકોને સરકારી નોકરી જેવી સુવિધા આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*