ગાંધીનગરમાં જુગાર રમતા વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો, જીવ નીકળી ગયા પછી આરોપીઓએ કર્યું એવું કે – ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 10:41 am, Mon, 15 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના કોલવડ ગામથી સોનીપૂર તરફ જતા હનુમાન મંદિર પાસે ખેતરમાં મિત્ર સાથે જુગાર રમી રહેલા 49 વર્ષીય દિલીપસિંહ વાઘેલા ઉપર ગોળી ચલાવવામાં આવી હતી અને ત્યારબાદ ધારદાર વસ્તુ વડે આઠથી નવ વખત પ્રહાર કરીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગાંધીનગરના કોલવડ ગામ થી સોનપુર તરફ હનુમાન મંદિર પાસે આવેલા ખેતરમાં કેટલાક યુવાનો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થઈ ગઈ હતી.

માથાકૂટ એટલી વધી ગઈ કે આરોપીઓએ દિલીપસિંહ વાઘેલા ઉપર પોઇન્ટ 2.2 ની રિવોલ્વર માંથી ગોળી ચલાવી હતી. આ કારણોસર દિલીપસિંહનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દિલીપસિંહ નું મૃત્યુ થયા બાદ આરોપીઓએ ધારદાર વસ્તુઓ વડે આઠથી નવ વખત તેમના શરીર ઉપર પ્રહાર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. મૃત્યુ પામેલા દિલીપસિંહ વાઘેલા ઘોડા અને ભેંસનો તબેલો ચલાવતા હતા. જે દિવસે ઘટના બની તે દિવસે દિલીપસિંહ વાઘેલા તેમના કેટલાક મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠા હતા.

આ દરમિયાન કોઈ બાબતમાં માથાકૂટ થઈ ગઈ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે જુગાર રમતા એક યુવકે દિલીપસિંહ વાઘેલા ઉપર ગોળી ચલાવી હતી. આ ઘટનામાં દિલીપસિંહ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આરોપીઓએ ધારદાર વસ્તુ વડે દિલીપસિંહ પર પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરીને દિલીપસિંહના મૃતદેહને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. માથાકૂટ ગયા બાબતમાં થઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં જુગાર રમતા વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો, જીવ નીકળી ગયા પછી આરોપીઓએ કર્યું એવું કે – ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*