અમદાવાદમાં લાલદરવાજા પાસે રાત્રે પરફ્યૂમની દુકાનમાં લાગી આગ, આગ લાગતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ…

Published on: 2:48 pm, Thu, 6 January 22

અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે મોડીરાત્રે એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. મળતી માહિતી અનુસાર ભદ્રકાલી મંદિર પાસે આવેલી પરફ્યુમની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગઇકાલે રાત્રીના સમયે બની હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા તેઓએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક વિભાગની ટીમને કરી હતી.

લોકોની નજર સામે જોતજોતામાં તો દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેના કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અને ભારે જહેમત બાદ દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા દુકાનના માલિક પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. દુકાનમાં કયા કારણોસર આગ લાગી તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં લાલદરવાજા પાસે રાત્રે પરફ્યૂમની દુકાનમાં લાગી આગ, આગ લાગતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ…"

Leave a comment

Your email address will not be published.


*