સુરત થી જૂનાગઢ જતી એક બસમાં અચાનક આગ લાગી આગ – બસમાં સવાર 32 મુસાફરોનો માંડ માંડ બચ્યા

Published on: 10:26 am, Wed, 27 October 21

ભરૂચમાં એક બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરત થી 32 જેટલા મુસાફરોને લઇને જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સ સ્લીપર લક્ઝરી બસ ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી લગભગ 500 મીટર દૂર આગ લાગી હતી.

બસમાં અચાનક આગ લાગી જતાં જ ડ્રાઈવરે બસ સાઇડમાં ઊભી રાખીને મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. આ ઘટનામાં બસ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર સુરત ના દર્શન ટ્રાવેલ્સની બસ મંગળવારના રોજ રાત્રે 32 જેટલા મુસાફરોને લઇને જુનાગઢ જવા માટે નીકળી હતી. મળતી માહિતી અનુસાર બસ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે પસાર થઈ રહી હતી.

ત્યારે અચાનક જ બસના ટાયર માં આગ લાગી હતી. બસચાલકે ત્યારે જ બસ સાઇડમાં ઊભી રાખી દીધી અને બસની અંદર સવાર મુસાફરોને તાત્કાલીક ધોરણે બસમાંથી નીચે ઉતારી દીધા હતા.

આ ઘટના મુદલ ટોલ પ્લાઝા થી 500 મીટર દૂર બની હતી. જ્યારે બસમાં અચાનક આગ લાગી ત્યારે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

આ ઘટના બનતા જ અંકલેશ્વર થી ભરૂચ તરફ પર લાંબો ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ભારે ટ્રાફિકના કારણે ભરૂચ જિલ્લાની ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત થી જૂનાગઢ જતી એક બસમાં અચાનક આગ લાગી આગ – બસમાં સવાર 32 મુસાફરોનો માંડ માંડ બચ્યા"

Leave a comment

Your email address will not be published.


*