એક પિતાએ તેના ત્રણે બાળકને ડેમમાં નાખી દીધા, ત્યાર બાદ પિતાએ પણ પોતાનો જીવ ટૂંકો કરવાનો કર્યો પ્રયાસ, જાણો પિતાએ આવું શા માટે કર્યુ…

Published on: 11:55 am, Sun, 5 September 21

આજકાલ સોશિયલ મીડિયામાં ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે ત્યારે આ ઘટના જાણીને તમે પણ દંગ થઈ જશો. મળતી માહિતી મુજબ અરવલ્લીના મેઘરજ તાલુકામાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના વેડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.

મળતી માહિતી અનુસાર એક પિતા ઘરકંકાસથી કંટાળીને પોતાના ત્રણ બાળકોને જીવતા ડેમ માં નાખી દીધા હતા અને ત્યાર બાદ પિતાએ પણ જીવ ટૂંકો કરવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં પિતાની હાલત ખુબ ગંભીર છે. મળતી માહિતી અનુસાર બાળકોની માતા એ પિતાની સામે ગુનો નોંધાવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના શનિવારના રોજ મોડી રાત્રે બની હતી. શનિવારના રોજ મોડી રાત્રે ડેમમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા.

આ સમાચાર પથકમાં ફેલાતા પથકમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારે પોલીસ તપાસ અનુસાર બેમાંથી બે દીકરીઓ અને એક દીકરાનાં મૃતદેહ મળી આવ્યું હતું. ઉપરાંત પિતાની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલે છે. પોલીસ દ્વારા પિતા પર ત્રણ બાળકોના મૃત્યુ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક પિતાએ તેના ત્રણે બાળકને ડેમમાં નાખી દીધા, ત્યાર બાદ પિતાએ પણ પોતાનો જીવ ટૂંકો કરવાનો કર્યો પ્રયાસ, જાણો પિતાએ આવું શા માટે કર્યુ…"

Leave a comment

Your email address will not be published.


*