બે બાળકોના પિતાએ પત્નીના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો આ પગલું શા માટે ભર્યું…

Published on: 3:52 pm, Thu, 21 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. લોકો પ્રેમ સંબંધમાં, કોઈના ત્રાસથી કંટાળીને, અથવા તો અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે શિકારપુરના રહેવાસી એક યુવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ શેખ ઝાકીર નામના યુવાન પોતાની પત્નીના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા તેને એક વિડીયો અને સુસાઈડ નોટ પણ લખી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલા યુવાન પાસેથી બે પેજની સુસાઇડ નોટ મળી આવી હતી અને વિડીયો પણ મળી આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિડીયો અને સુસાઈટ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ચાર મહિલાઓને ત્રાસથી યુવાને કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર યુવાને ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ દરમિયાન રસોડામાંથી અવાજ આવે છે અને યુવાનની પત્ની જાગી જાય છે.

ત્યારે યુવાનની પત્ની રસોડામાં જઈને જૂએ છે. ત્યારે પોતાના પતિને લટકતી હાલતમાં જોવે છે. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી હતી.

સુસાઇડ નોટમાં મૃત્યુ પામેલા યુવાને ઉલ્લેખ કર્યો હતો કે ચાર મહિલાઓના વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને હું મારું જીવન ટૂંકાવી રહ્યો છું. મૃત્યુ પામેલા યુવાને સુસાઇડ નોટમાં પોતાની પત્ની અને બાળકો પાસે આ પગલું ભરવાની માફી માંગી હતી.

આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવાનને સુસાઇડ નોટમાં ચાર મહિલાઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાનો ચાની લારી ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનને ચાર મહિલાઓ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. મહિલાઓના વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાળકોના પિતાએ પત્નીના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો આ પગલું શા માટે ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*