ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત… વાન ચલાવતા ડ્રાઇવરની ઊંઘના કારણે….

Published on: 1:45 pm, Sat, 27 May 23

Madhya Pradesh Terrible accident: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આપ ભયંકર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લોકો અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનામાં એક વાન રસ્તા પર પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાયું હતું, જેના કારણે ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે વાનમાં બેઠેલા ત્રણ લોકોના મોત થઈ ગયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા લોકોને વાનમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે લગભગ છ વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર પરિવાર ઉજ્જૈનથી મહાકાલ ના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના નિમચમાંથી સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે, વાન ચલાવનાર વ્યક્તિ ચાલુ વાહને ઊંઘી ગયો હતો જેના કારણે આ અકસ્માતની ઘટના બની છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની તેમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં 35 વર્ષીય સંદીપ, 65 વર્ષીય સુશીલા અને 32 વર્ષીય જયંતિ બાઈ નામની મહિલાનું મોત થયું છે. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા.

તેમને બે એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાર્ક કરેલા ટ્રેક્ટર ટ્રોલીની પાછળ તેમનું વાન ઘૂસી ગયું હતું. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે વાનનો તો ભાંગીને ભૂકો થઈ ગયો છે.

જ્યારે બીજી બાજુ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત તથા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. હાલમાં તો અન્ય ચાર લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત પણ નાજુક છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતની ઘટના કયા કારણોસર બની તેનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત… વાન ચલાવતા ડ્રાઇવરની ઊંઘના કારણે…."

Leave a comment

Your email address will not be published.


*