લગ્નમાં હાજરી આપવા જઈ રહેલા પરિવારને ઉદયપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત નડ્યો, 1 વ્યક્તિનું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:48 am, Mon, 30 May 22

આજરોજ સવારે ઉદયપુર અમદાવાદ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  મળતી માહિતી અનુસાર એક પરિવાર અમદાવાદથી સણવલિયાજીમાં લગ્નમાં હાજરી આપવા માટે જતું હતું. આ દરમિયાન પુલ પર એક ટ્રક અચાનક રોંગ સાઇડમાં પલટી ખાઇ ગયો હતો.

આ દરમિયાન પાછળ આવતી ઈનોવા કાર ટ્રકની અંદર ઘૂસી ગઈ હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 57 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

આ અકસ્માતની ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ખાસ કરીને અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ હાઈવે પર અકસ્માત ઘટનામાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં હાજરી આપવા જઈ રહેલા પરિવારને ઉદયપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત નડ્યો, 1 વ્યક્તિનું મૃત્યુ, 5 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*