લગ્ન પ્રસંગમાં જઇ રહેલા એક પરિવારનું પાલીતાણા-સોનગઢ હાઇવે પર થયું ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 2:14 pm, Tue, 16 November 21

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા સોનગઢ હાઇવે પર આજરોજ સવારે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સવારના સમયે પીપરલા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં 2 લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

ઉપરાંત 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે સિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પીપરલા ગામ નજીક આવેલા માનવ આશ્રમ પાસે બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

ટક્કર થતાં જ કાર રોડ પરથી નીચે ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર ભાવનગર થી મોખડકા લગ્ન પ્રસંગમાં જઇ રહેલા એક પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિહોરની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્ન પ્રસંગમાં જઇ રહેલા એક પરિવારનું પાલીતાણા-સોનગઢ હાઇવે પર થયું ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*