સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત… હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો…

Published on: 10:34 am, Mon, 14 November 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં હસ્તો ખેલતો પરિવાર થતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર તારાપુર વાસદ ધોરીમાર્ગ પર પેટલાદના વડદલા ગામ પાસે ટેન્કર અને કાર વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર રોડ ઉપર ઉભેલા ટેન્કરની પાછળ કાર ઘુસી જતા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં કારનો ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો વડોદરા ખાતે રહેતા વણઝારા પરિવારના 8 સભ્યો શનિવારના રોજ સાળંગપુર હનુમાનજી ના દર્શન કરવા માટે કારમાં નીકળ્યા હતા.

પરિવારના લોકો દર્શન કરીને રવિવારના રોજ સવારે વડોદરા આવવા માટે નીકળ્યા હતા. ત્યારે તારાપુર વાસદ ધોરીમાર્ગ પર ધર્મજ ચોકડી પાસે તેમને અકસ્માત નડ્યો હતો. અહીં એક બંધ પડેલું ટ્રેક્ટર રસ્તાની વચ્ચોવચ હતું. આ ટેન્કરની પાછળ કાર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોજ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત લોકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય રામુભાઈ વણઝારા, 22 વર્ષીય હિરલ વણઝારા અને 29 વર્ષીય વિનોદ વણઝારા નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોજ થયું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત થતા પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત… હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*