વડોદરામાં પરીક્ષા આપીને ઘરે જઈ રહેલી દીકરીને ટ્રેક્ટરે કચડી નાખી, 3 દિવસની સારવાર બાદ દીકરીનું મૃત્યુ… રાજપુત પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 3:53 pm, Thu, 20 October 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે થોડાક દિવસ પહેલા એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના વડોદરા શહેરના કરોલીબાગ વુડા સર્કલ પાસે ત્રણ દિવસ પહેલા બની હતી. અહીં એક ટ્રેક્ટર ચાલકે સાયકલ પર સવાર વિદ્યાર્થીની ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. આ ગંભીર અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીનીના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ આજરોજ વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજરોજ વહેલી સવારે વિદ્યાર્થીનીનું મૃત્યુ થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. પરીક્ષા દઈને વિદ્યાર્થીની ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થીનું નામ ખુશી રાજપૂત હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. માત્ર 16 વર્ષની ઉંમરે દીકરીનું મૃત્યુ થતા રાજપુત પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ખુશી રાજપુત વડોદરા શહેરના સમા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે કરેલીબાગમાં આવેલી શ્રીકૃષ્ણ હિન્દુ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. ત્રણ દિવસ પહેલા બપોરે તે પરીક્ષા આપીને પોતાની સાયકલ લઈને ઘર તરફ આવી રહી હતી. ત્યારે રસ્તામાં વુડા સર્કલ પાસે પુરપાડ ઝડપે પસાર થતા ટ્રેક્ટરે ખુશીને અડફેટેમાં લીધી હતી.

આ અકસ્માતની ઘટનામાં ખુશીના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા ઇજાગ્રસ્ત થયેલી ખુશીને સારવાર માટે તાત્કાલિક વડોદરામાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ આજરોજ વેલી સવારે દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારબાદ ટ્રેક્ટરચાલક ઘટના સ્થળે જ ટ્રેક્ટર છોડીને ફરાર થઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં પરીક્ષા આપીને ઘરે જઈ રહેલી દીકરીને ટ્રેક્ટરે કચડી નાખી, 3 દિવસની સારવાર બાદ દીકરીનું મૃત્યુ… રાજપુત પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*