કોરોના સંક્રમણ વધતા આ રાજ્યમાં આજ રાતથી સંપૂર્ણ લોકડાઉન, માત્ર ઇમરજન્સી સેવાઓને મંજૂરી.

Published on: 11:05 am, Thu, 1 April 21

કોરોનાવાયરસ ના વધતા જતા કેસો ને રાજ્ય સરકારોને મજબૂત પગલાં લેવાની ફરજ પડી રહી છે. ગઈકાલે રાતથી 15 એપ્રિલ ની મધ્ય રાત્રિ દરમિયાન ગુજરાતી નજીક આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર માં લોકડાઉન ની ઘોષણા કરવામાં આવે છે.

આ જ સમયે પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સહિત ના ઘણા રાજ્યો ના મોટાભાગ ના સંક્રમણ શહેરોમાં નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં નાઈટ કરફ્યુ લાદવાની વિચારણા સરકાર કરી રહી છે.

કેન્દ્ર એ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની પરીસ્થિતિની ગંભીરતાને કારણે કડક પગલાં લઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ માને છે કે માર્ગદર્શિકાઓ નું પાલન કરીને જ કોરોના મહામારી ને હરાવી શકાય છે.

15 એપ્રિલ સુધી ગુજરાતના અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરમાં નાઈટ કરફ્યુ લાગ્યું છે. રાજ્યના ચારેય મહાનગરોએ રાત્રી ના 9 થી સવાર ના 6 વાગ્યે કરફ્યુ લગાવ્યો છે.

અધિક મુખ્ય સચિવ ના જણાવ્યા મુજબ, કોરોના સંક્રમણ ના વ્યાપને ધ્યાનમાં લઈને સરકારે કોવીડ 19 ચેપ નિયંત્રણ નિયમોને 30 એપ્રિલ સુધીમાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે અને રાજ્યમાં કોરોના ચેપ ના 12,041 સક્રિય કેસ છે.

આરટીપીસીઆર ટેસ્ટ ની કિંમત 4500 ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમય-સમય પર ઘટાડો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના તપાસમાં ફી માં 6 વખત ઘટાડો કરવામાં આવ્યો છે.

જાહેર આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ પ્રદીપ વ્યાસે જણાવ્યુ કે તપાસ માટે 500,600,800 રૂપિયા ના નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના સંક્રમણ વધતા આ રાજ્યમાં આજ રાતથી સંપૂર્ણ લોકડાઉન, માત્ર ઇમરજન્સી સેવાઓને મંજૂરી."

Leave a comment

Your email address will not be published.


*