સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીએ ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 11:48 am, Sat, 6 August 22

ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરતમાં મોર્નિંગ પર નીકળેલા વેપારીએ ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા આજ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

સુરતના સચિન-ખરવાસાની ચીકુવાડીમાં એમ્બ્રોઇડરીના મશીનના વેપારીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર વેપારી સવારના સમયે મોર્નિંગ રોગ પર નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત ફરિયા ન હતા. જેના કારણે વેપારીના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા.

પરિવારના લોકોએ પોલીસને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે વેપારીએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને સચિન પોલીસે જણાવ્યું કે, ખરવાસાના નિતેશ ઈશ્વરભાઈ દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં એક ઝાડ સાથે નાઈલોનની બાંધીને કોઈ યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું તેવી માહિતી મળી હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા વ્યક્તિના પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોનના આધારે મૃત્યુ પામેલ વ્યક્તિની ઓળખ થઈ હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નવીન શર્મા હતું અને તેમની ઉંમર 38 વર્ષની હતી. નવીન શર્મા માનસરોવર ડીંડોલીમાં રહેતા હતા તેવું સામે આવી રહ્યું છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ઘટના સ્થળેથી મૃતક વ્યક્તિની કાર, એક થેલી જેમાં છત્રી હતી, આઈડી કાર્ડ અને ચંપલ મળી આવ્યા છે. આ ઘટનાની જાણ નવીનના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા નવીનના સાઢુભાઈએ જણાવ્યું હતું કે, બિહારના વતની નવીન શર્મા 20 વર્ષથી સુરતમાં રહેતા હતા.

નવીનભાઈ એમ્બ્રોઇડરીના મશીન વેચવાનું વ્યવસાય સાથે ભાગીદારી પેઢીમાં કામ કરતા હતા. લગભગ ત્રણ વર્ષ પહેલા ભાગીદારો સાથે થયેલી તકરારના કારણે બંને છૂટા પડી ગયા હતા. બંને વચ્ચેના હિસાબો બાકી હતા. નવીન દરરોજ મોર્નિંગ વોક પર જતો હતો. નવીને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીએ ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*