સેલવાસના રસ્તા પર ગાય વચ્ચે આવી જતા બસ અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, 14 મુસાફરો ઈજાગ્રસ્ત…

Published on: 4:11 pm, Thu, 16 December 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં સેલવાસના અથાલમાં બસ અને ટ્રક વચ્ચે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બસમાં સવાર 14 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અથાલ ગામ નજીક રસ્તા ઉપર ગાડી આવી જતા ટ્રક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ગાડી આવી જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી હતી તેના કારણે પાછળથી આવી રહેલી બસ ટ્રકની અંદર ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર 14 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર બસ દાદરા નગર થી બોરડી ગામ તરફ જાનૈયાઓને લઇને જાહેર હતી ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયું હતું. અકસ્માત બનતા જ ઘટનાસ્થળે લાંબી ટ્રાફિકજામ સર્જાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સેલવાસના રસ્તા પર ગાય વચ્ચે આવી જતા બસ અને ટ્રક વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, 14 મુસાફરો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*