મજૂરી કામ કરીને નાવ દ્વારા ઘરે પરત ફરી રહેલા, 16 લોકોથી ભરેલી નાવ નદીમાં પલટી ખાઈ ગઈ – 12 લોકો નદીમાં ડૂબી ગયા

Published on: 5:00 pm, Sat, 26 February 22

ઝારખંડમાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઝારખંડના જામતાડામાં ગુરુવારે એક નાવ પલટી ખાઈ જવાનાં કારણે 16 લોકો ગુમ થયા છે. જેમાંથી ચાર લોકો ગમેતેમ કરીને બહાર આવી ગયા છે. હજુ પણ 12 લોકો ગુમ છે.

ઘટના બનતા જ પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નદીમાં ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ લગભગ સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી.

પાંચ વાગ્યાની આસપાસ નાવ ઉપર સવાર લોકો નદીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે પવન સાથે અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો હતો. ઝડપી પવનના કારણે નાવ નદીમાં પલટી ખાઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોનું કહેવું છે કે, નાવમાં સવાર લોકો મજૂરી કરીને પોતાનું કામ પતાવી ઘરે પાછા પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન આ મોટી દુર્ઘટના બની હતી. હજુ સુધી એક પણ વ્યક્તિનું મૃતદેહ મળ્યું નથી.

હાલમાં નદીમાં અન્ય 12 લોકોની શોધખોળ શરૂ છે. આ અગાઉ પણ થોડાક મહિના પહેલા બિહારના ગોપાલગંજ માં એક હોડી નદીમાં પલટી ખાઈ ગઈ હતી. ત્યારે હોડીમાં 24 લોકો સવાર હતા. આ ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મજૂરી કામ કરીને નાવ દ્વારા ઘરે પરત ફરી રહેલા, 16 લોકોથી ભરેલી નાવ નદીમાં પલટી ખાઈ ગઈ – 12 લોકો નદીમાં ડૂબી ગયા"

Leave a comment

Your email address will not be published.


*