પ્રધાનમંત્રી ની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે મોટો નિર્ણય લેવાયો, જેમાં 80 કરોડ લોકોને…

Published on: 3:45 pm, Wed, 23 June 21

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા. આજે કેબિનેટ બેઠકમાં CRWC અને CWC ના જોડાણને આજે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત મફત અનાજ વિતરણ ની યોજનાને નવેમ્બર મહિના સુધી આપવાના નિર્ણયને પણ મંજૂરી મળી ગઈ છે.

આ યોજનામાં દેશના 80 કરોડ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત દેશમાં કોરોના ની બીજી લહેર ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ કલ્યાણ યોજના અંગત રાશન કાર્ડધારકોને 5 કિલો મફત અનાજ મળશે. આ અનાજ દિવાળી સુધી આપવામાં આવશે.

આજે મંજૂરી આપી દેવામાં આવે તેના કારણે ટેક્સ ઘટાડવામાં પણ મોટી મદદ મળશે. લગભગ સરકારને વાર્ષિક 5 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંગત રાશન કાર્ડ ધારકોની ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 90000 કરોડ રૂપિયાથી પણ વધુ નમો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે પણ આ યોજના અંગત રાશનકાર્ડ ધારકોને દિવાળી સુધી 5 કિલો મફત અનાજ આપવામાં આવશે. ગયા વર્ષે પ્રથમ લોકડાઉને ના થોડાક દિવસ બાદ જ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

જેના કારણે દેશમાં એપ્રિલ, મેં અને જૂન મહિનામાં 81 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ એક સભ્યને દિવાળી સુધીમાં 10 કિલો અનાજ મળશે.

10 કિલો અનાજ આપવામાં આવશે તેમાંથી માત્ર 5 કિલો અનાજ ના પૈસા ચૂકવવા પડશે 5 કિલો અનાજ મફત મળશે. એટલે કે ચાર સભ્ય વાળા રાશન કાર્ડ પર 20 કિલો અનાજ મફત આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી ની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે મોટો નિર્ણય લેવાયો, જેમાં 80 કરોડ લોકોને…"

Leave a comment

Your email address will not be published.


*