કોરોના ની કહેર વચ્ચે અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ ને લઈને લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે

Published on: 3:17 pm, Mon, 7 December 20

કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટ આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજરોજ આ કર્ફ્યુનો અંતિમ દિવસ હતો એટલે કે કર્ફ્યુ ના અંતિમ દિવસ પહેલા ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તે કર્યું બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અને તેમાં રાત્રી કર્ફ્યુ નો બીજો નિર્ણય ન આવે.

ત્યાં સુધી યથાવત રાખવા આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.આ પત્રમાં જણાવવામાં આવ્યું કે,દેશમાં કોરોના ની અસર ને ધ્યાનમાં લઈને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના દિશા નિર્દેશ અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 27-10-2020 ના હુકમ ના આધારે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અવધી 25-11-2020 થી 31-12-2020 સુધી લંબાવવામાં આવ્યો છે.

રાત્રી કર્ફ્યુ દરમિયાન પેટ્રોલ પમ્પ, પાણી, સ્વચ્છતા,વીજ એજન્સી, ટેલિકોમ્યુનિકેશન સર્વિસ, ટ્રાન્સમિશન એકમો, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર ચેતવણી એજન્સી રહશે. અંતિમવિધિમાં 20 લોકો એકઠા થઇ શકશે અને રેલવે અને.

એરપોર્ટ પર માલસામાનની હેરફેર શરૂ રહેશે.દૂધ વિતરણ,તબીબી સેવા,મેડિકલ અને ઈ-કોમર્સ ફાર્માસ્યુટિકલ હોમ ડિલિવરી ની સેવા પણ શરૂ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ ને લઈને લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*