ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે આવ્યા અગત્યના સમાચાર, અભ્યાસક્રમ અને પરીક્ષાને લઇને લેવાયો મોટો નિર્ણય

Published on: 9:33 am, Sun, 3 January 21

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે અને ઘણા લાંબા સમયથી શાળા અને કોલેજો બંધ છે. કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે અને બોર્ડના નિયમ અનુસાર ધોરણ 9, 10, 11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા જેટલું કરવામાં આવ્યું છે જે અગાઉ 20 ટકા હતું. આ ફેરફાર પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા.

ધોરણ 10 અને 12 ના મુખ્ય 40 વિષયોનો પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલા છે.આ તમામ ફેરફાર અંગેની જાણ રાજ્યના શિક્ષણ અધિકારી ઓને કરવામાં આવી છે.

તથા WWW.GSEB.ORG વેબસાઈટ પર સત્તાવાર રીતે પરિપત્રો અને ફેરફાર મૂકવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે આવ્યા અગત્યના સમાચાર, અભ્યાસક્રમ અને પરીક્ષાને લઇને લેવાયો મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*