રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત,કોરોના મૃતકના પરિવારને મળશે આટલા બધા રૂપિયા

Published on: 4:06 pm, Thu, 14 October 21

કેરળ સરકારે કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનાર ગરીબ પરિવારોને આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે.બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૃતકોના પરિવારોને ઉપલબ્ધ આર્થિક સહાય ઉપરાંત 5000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

જોકે રાજ્ય સરકારના આ યોજનામાં માત્ર ગરીબ પરિવારોને સામેલ કરવામાં આવશે.રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે 5 હજાર રૂપિયાની આ વધારાની માસિક સહાય ગરીબી રેખા નીચેના પરિવારોને ત્રણ વર્ષ માટે આપવામાં આવશે.આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી અનુસાર

કોરોના ના કારણે જીવ ગુમાવનારો પર નિર્ભર બીપીએલ પરિવારોને આર્થિક સહાય મળશે.વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ લાભ તે પરિવારોને આપવામાં આવશે જે રાજ્યોમાં રહેતા હોય પછી ભલે તે વ્યક્તિ રાજ્યની અંદર અથવા દેશની બહાર મૃત્યુ પામ્યો હોય.

આશ્રિતોને અરજી સબમિટ કરવાની રહેશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ અને મહેસૂલી અધિકારીઓને આ સંદર્ભે જરૂરી પગલાં લેવાનું કામ સોંપવામાં આવશે. ગ્રામીણ અધિકારીઓએ સુનિશ્ચિત કરશે કે આશ્રિત પરિવારમાં કોઈ સરકારી કર્મચારી કે આવકવેરો ચૂકવનાર ન હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત,કોરોના મૃતકના પરિવારને મળશે આટલા બધા રૂપિયા"

Leave a comment

Your email address will not be published.


*