ભુજ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયેલા 56 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલો વધુ એક તેઓ જ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં અરવલ્લી જિલ્લામાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

જાણવા મળી રહ્યું છે કે, મોડાસા એપીએમસીમાં છેલ્લા સાત વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વ્યક્તિને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે અરવલ્લી જિલ્લામાં એક માસમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાનીઆ ચોથી ઘટના છે.

વિગતવાર વાત કરીએ તો, એપીએમસીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા 56 વર્ષના ઘનશ્યામભાઈ ભટ્ટ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ઘનશ્યામભાઈ મંદિરમાં હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

પછી ઘનશ્યામભાઈની પત્નીએ અન્ય હરિભક્તોની મદદ લઈને ઘનશ્યામભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઘનશ્યામભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘનશ્યામભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*