રાજકોટમાં મકાનના રીનોવેશનનું કામ કરતી વખતે 36 વર્ષના યુવકનું દર્દનાક મોત… માસુમ દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં ઘરનું રીનોવેશન કરતી વખતે એક યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે, આજીડેમ ચોકડી પાસે આવેલ રામપાર્કમાં રહેતો ભાણવડ પથકનો યુવક મોરબી રોડ ઉપર આવેલી વિલાસ સોસાયટીમાં મકાન રીનોવેશનનું કામ કરતો હતો. અહીં યુવકને આકસ્મિત રીતે વીજ કરંટ લાગ્યો હતો.

પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાને અંતિમ શ્વાસ લીધા હતા. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ નીતિશ વાલાભાઈ નનેરા હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી.

નીતીશ આઠ દિવસ પહેલા મોરબી રોડ ઉપર આવેલી વિલાસ સોસાયટીમાં મકાન રીનોવેશનનું કામ કરતો હતો. અહીં નિતેશને વીજ કરંટ લાગ્યો હતો જેના કારણે તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક એકની એક બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. તેને સંતાનમાં અઢી વર્ષની દીકરી હતી. ઘટના બનતા જ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*