છેલ્લા થોડા દિવસોથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક-બે દિવસ પહેલા બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કેદારનાથની ઊંડી ખીણમાં પડી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર પારડીના કલસર સહિત 40 જેટલા ભક્તોનું ગ્રુપ ચારધામની યાત્રા માટે પહોંચી હતું. હરિદ્વાર બાદ ઉત્તરાખંડના કેદારનાથમાં 32 વર્ષીય ધનેશ ભીખુભાઈ પટેલ નામના યુવાન કેદારનાથની ઊંડી ખીણમાં પડી ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી ઘટનાની જાણ થતાં ઉત્તરાખંડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે ખીણમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢીને તેમના સાથીદારોને સોંપ્યું હતું. આ ઘટના બનતા જ ચારધામની યાત્રામાં ગયેલા ભક્તો અને સ્થાનિક લોકોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનની અંતિમ ક્રિયા કેદારનાથમાં જ કરવામાં આવી હતી. મૃત્યુ પામેલો યુવાન પારડીના કલસર સડક ફળિયામાં રહેતો હતો.
મળતી માહિતી અનુસાર 21 મેના રોજ 40 લોકોનું ગ્રુપ ઉત્તરાખંડ સહિત ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યું હતું. સૌપ્રથમ તેઓ હરિદ્વાર ગયા હતા. હરિદ્વાર પડી જવાના ધનેશ પટેલના માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ બીજા દિવસે તેઓ કેદારનાથ જવા માટે રવાના થયા હતા.
40 લોકો કેદારનાથની નજીક રામપુર ખાતેની એક હોટલમાં રોકાયા હતા. ત્યારે ધનેશ પટેલ મળસ્કે સવારે હોટલની બહાર નીકળ્યા હતા. આ દરમિયાન રામપુર સ્થાનિક લોકોએ ધનેશ પટેલને ખીણમાં પડતાં જ જોયા હતા. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ ઉત્તરાખંડ પોલીસને કરી હતી.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉતરાખંડ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ખીણમાંથી ધનેશ પટેલનો મૃતદેહ શોધી કાઢ્યું હતું. ધનેશ પટેલ મૃત્યુ થતાં આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. એટલું જ નહીં પરંતુ ધનેશ પટેલની અંતિમવિધિ પણ કેદારનાથમાં કરી દેવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "ગુજરાતમાંથી ચારધામની યાત્રાએ ગયેલા 32 વર્ષીય યુવાનનું કેદારનાથની ઊંડી ખીણમાં પડી જવાના કારણે કરૂણ મૃત્યુ, યુવાનની અંતિમવિધિ પણ કેદારનાથમાં કરી…"